Tenders

Accounts

MOUs

Visitors Counter

33137851

રાષ્ટ્રીય સેવા યોજના, કૃષિ મહાવિધાલય, જુ.કૃ.યુ., જૂનાગઢ દ્વારા સપ્ટેમ્બર -૨૫, ૨૦૨૪ ના રોજ રાષ્ટ્રીય પોષણ માહ કાર્યક્રમ અંતર્ગત હાઇબ્રિડ મોડમાં "પોષણનું મહત્વ" ઉપર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું.

     રાષ્ટ્રીય સેવા યોજના, કૃષિમહાવિધાલય, જુ.કૃ.યુ.,જૂનાગઢ દ્વારા   સપ્ટેમ્બર-૨૫, ૨૦૨૪ના રોજ  રાષ્ટ્રીય પોષણ માહ કાર્યક્રમ અંતર્ગત હાઇબ્રિડ મોડમાં "પોષણનું મહત્વ" ઉપર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું. તેમાં  ઉદ્ઘાટન સંબોધનમાં ડૉ. પી. ડી. કુમાવત, આચાર્ય અને ડીનશ્રી, કૃષિમહાવિધાલય, જુ.કૃ.યુ.જૂનાગઢ દ્રારા જણાવવામાં આવ્યું હતું કે પરિસંવાદનો ઉદ્દેશ્ય પોષણનું મહત્વ, સામાન્ય સ્વાસ્થ્ય પર તેના પ્રભાવ અને સયુકત  પોષણને અપનાવવાની રીતો વિશે જનજાગૃતિ વધારવાનો છે. આ કાર્યક્રમ દરમ્યાન શ્વેતા સભરવાલ, ન્યુટ્રિશનિસ્ટ અને ક્લિનિકલ ડાયેટિશિયન, ચંદીગઢ એ વિષય નિષ્ણાત તરીકે સેવા આપી હતી. તેણીએ આપણા રોજિંદા જીવનમાં આહાર અને પોષક તત્વોના મહત્વ પર ભાર મૂક્યો હતો. નબળા પોષણ સાથે સંકળાયેલ સ્થૂળતા અને દીર્ઘકાલીન રોગો વિષે  માહીતી આપી હતી અને વિવિધ ઉંમરે ચોક્કસ આહાર જરૂરિયાતો માટે માર્ગદર્શિકા પ્રદાન કરેલ. ડો. પિંકી એસ. શર્મા, મદદનીશ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રી, વિ.શિ.ની., જુ.કૃ.યુ.,સમજાવ્યું કે કેવી રીતે સંતુલિત આહાર, રોગપ્રતિકારક કાર્ય, ઉર્જા સ્તરો અને માનસિક સ્પષ્ટતાને ટેકો આપે છે. તેણીએ ચોક્કસ ખોરાકની યોગ્યતા અને ખામીઓ પર માહીતી આપેલ.  કાર્યક્રમ દરમ્યાન પોષણના મહત્વ ઉપર એક નાનકડી રમતનું પણ આયોજન કરવામાં આવેલ. કાર્યકર્મના અંતમાં વિદ્યાથીઓ દ્વારા કાર્યક્રમ વિષે સકારાત્મક પ્રતિભાવ આપેલ. જેમાં મુખ્યત્વે આ કાર્યક્રમથી તેમને  પોષણણી સ્વાસ્થ્ય પર અસરની સમજણમાં વધારો થયેલ જણાવેલ અને આ પ્રકારના બીજા કાર્યકમ પણ થવા જોઈએ એ જણાવેલ. કાર્યક્રમના સંયોજક તરીકે કૃષિ મહાવિધાલયના રાષ્ટ્રીય સેવા યોજના, પ્રોગ્રામ ઓફિસર ડૉ. જે.આર. તલાવિયાએ સેવા આપી હતી. આ કાર્યક્રમમાં કૃષિમહાવિધાલય, જુ.કૃ.યુ.જૂનાગઢ અને મોરબીના૧૨૦થી વધુ સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.

JAU_001
JAU_002
JAU_003
JAU_004
JAU_005
JAU_006
1/6 
start stop bwd fwd

News

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડીયા દ્વારા તા.૨૩-૦૯-૨૦૨૪ થી તા.૨૭-૦૯-૨૦૨૪ દમ્યાન કૃષિ ટેકનોલોજી વિકનું તથા ક્રિષક સ્વર્ણ સમૃદ્ધિ વિકની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ.
Krishak Swarn Smriddhi Week and Technology Week was celebrated at KVK, Khapat during 23rd to 28th September, 2024.
રાષ્ટ્રીય સેવા યોજના, કૃષિ મહાવિધાલય, જુ.કૃ.યુ., જૂનાગઢ દ્વારા સપ્ટેમ્બર -૨૫, ૨૦૨૪ ના રોજ રાષ્ટ્રીય પોષણ માહ કાર્યક્રમ અંતર્ગત હાઇબ્રિડ મોડમાં "પોષણનું મહત્વ" ઉપર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું.
કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢ અને કૃષિ મહાવિદ્યાલય, મોરબી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓનો "ઓરિએન્ટેશન કાર્યક્રમ" તારીખ 13 અને 17 સપ્ટેમ્બર 2024 ના રોજ યોજાઈ ગયેલ.
A sensitization workshop on ‘Entrepreneurship Development in Agriculture’ was organized in online mode by CoA, JAU, Junagadh, in collaboration with ICAR-NAARM, Hyderabad, on September 17, 2024.
The India Today Rankings-2024 recently announced. Junagadh Agricultural University, the only Government University from Gujarat ranked 31st at National level.
100% placement of B.Tech (Agril. Engg.) final year students of College of Agricultural Engineering and Technology, Junagadh Agricultural University, Junagadh.
College of Agril. Engineering and Technology, JAU, Junagadh improved its ranking at National Level, In National Ranking of CSR-GHRDC Engineering Colleges Survey-2024.
રજત જયંતી એવોર્ડ યોજનામાં ભાગ લેવા માટેનું ઉમેદવારી પત્રક "સુક્ષ્મ પિયતપધ્ધતિઓ દ્વારા ખેતીમાં મહતમ ઉત્પાદન વર્ષ ૨૦૨૩-૨૪", સરદાર સ્મૃતિ કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ.
JAU has been awarded 7th rank among all the State Agricultural Universities of India and 2nd rank in State by Educationworld, India Higher Education Ranking 2023-24.

Advertisements